૬-૭-૨૦૧૮ ના રોજ અમારી શાળા ગીતાંજલી સ્કૂલ માં નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વિષય વર્ષાઋતુ અને વરસાદ એ વરદાન કે અભિશાપ હતો. જેમાં શાળાના ધોરણ ૧ થી ૮ ના તમામ બાળકોએ ભાગ લીધો હતો.
૭-૭-૨૦૧૮ ના રોજ અમારી શાળા ગીતાંજલી સ્કૂલમાં વર્ષાગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૧ થી ૮ ના બાળકો એ વર્ષાગીત ગાયા હતા. ઘણો સારો અનુભવ રહ્યો હતો. તે દિવસે પ્રથમ વખત કાર્યક્રમનું સંચાલન કરવાનો અનુભવ મને થયો હતો.
૧૪-૭-૨૦૧૮ના રોજ અમારી ગીતાંજલી સ્કૂલમાં વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિષય બેસ્ટ પિતા હતો. જેમાં ઘોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને શાળાના શિક્ષકો દ્વારા પણ પિતા વિશે તેમના વિચારો શું છે તે જણાવામાં આવ્યું હતુ.
Comments
Post a Comment